Posts

Reward

Image
સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ---via-- whats app -- ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું.       આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.      એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા.... ''દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું....''    દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં....!!     લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા. કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા....       આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓના  પણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ  હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા....! અચાનક કોઈએ બુમ ...

Positive story

Image
કેમ સવ  બસ એક વાક્યએ આંખમાં લાગણીના આંસુ લાવી દીધા.લોકડાઉન ના આ સમયમાં ઓનલાઇન શિક્ષણનું કામ કરતા કરતા વિદ્યાર્થીના વાલીને વારંવાર ફોન કરવા પડે.ગામડાના વાલીઓને સમજાવી ગૃહકાર્ય આપીએ.વિદ્યાર્થીઓ ગૃહકાર્ય કરે તેની ખાતરી કરીયે,પણ આવા સમયે એક નવોજ અનુભવ થયો,ઘણીવાર ઘણાના મોઢે સાંભળેલું કે આ બાળકોનું કાઈ ના થાય.પણ મેં શિક્ષણની સાથે સાથે માનવધર્મ નું શિક્ષણ આપવામાં કંઈ કચાશ રાખી નથી.એના જ પ્રતાપે નવ વર્ષની મહેનત બાદ આજે બાળકો બહારની દુનિયા વિશે વિચારતા થયા છે. લોકડાઉન ના સમયે માસ્તર વાલીઓને, બાળકો ને ફોન કરે એતો શક્ય છે,પણ છેલ્લા કેટલાય દિવસથી નિયમિત મારા બાલૂડાંઓના નિયમિત ફોન આવે છે,જેમાં હિતેશ,પ્રકાશ,કિશન,પ્રાર્થના,રમીલા વગેરે.અને પેલો જ પ્રશ્ન "કેમ સવ".ખરેખર દિલ પીગળાવી નાખે.મારે એમના ખબરઅંતર પૂછવાના હોય એની જગ્યાએ એ મને,મારા કુટુંબ તેમજ ગામના ખબર અંતર પૂછે.ખરેખર આજ દિલથી અનુભવું છું મેં કરેલ કાર્ય એક ચોક્કસ દિશા તરફ પ્રયાણ કારી રહ્યું છે.મારા બાલુડા એક દિવસ આજગતમાં માનવતારૂપી સિદ્ધિ ચોક્કસ મેળવશે.બાલદેવો ભવ:.